Thursday, 1 January 2015

મંત્ર જાપ અને મંત્ર જાપ માટે નિયમો

 

 

મંત્ર જાપ અને મંત્ર જાપ માટે નિયમો 

મંત્ર જાપ નો અર્થ આ પ્રમાણે કરીએ - જેનું ચિંતન અને મનન કરવાથી સંસાર નું યથાર્થ સ્વરૂપ જાણવા મળે, ભાવ-બંધનો થી મુક્તિ મળે અને જે સફળતા ના માર્ગ પર અગ્રેસર કરે એને ' મંત્ર ' કહેવાય છે. એજ રીતે 'જપ' નો અર્થ છે- 'જ' નો અર્થ, જન્મ નું અટકી જવું અને 'પ' નો અર્થ છે પાપો નો નાશ થવો. માટે પાપો નો નાશ કરનાર અને પુનર્જન્મ પ્રક્રિયા ને રોકનાર ને 'જપ' કહેવાય છે. મંત્ર શક્તિ જ દેવમાતા - કામધેનું છે, પરાવાક દેવી છે, વિસ્વા-રૂપીણી છે, દેવતાઓ ની જનની છે. દેવતા મંત્રાત્મક જ છે. એજ વિજ્ઞાન છે. આ કામધેનું રૂપી વાક શક્તિથી આપણે જીવિત છીએ. એના કારણેજ આપણે બોલી શકીએ છીએ જાણી શકીએ છીએ. મંત્ર-વિદ્યા ના મહાન સામર્થ્ય ને જો બરાબર સમજીએ અને એનો સંપૂર્ણ પ્રયોગ કરવામાં આવે તો આ આધ્યાત્મિક પ્રયાસ, કોઈ પણ ભૌતિક ઉન્નતી ના પ્રયાસ થી ઓછું  મહત્વપૂર્ણ અને ઓછું લાભદાયક સિદ્ધ નથી થતું. મંત્ર ની   શક્તિ નો વિકાસ જપ થીજ થાય છે.

મંત્રોની રચના વિશિષ્ઠ પધ્ધતિ થી મંત્ર-શક્તિ ના  અનુભવી મહાત્માઓ દ્વારા કરવામાં આવી હોય છે. એનો અર્થ ખુબજ ગહન હોય છે અને માત્ર-શાસ્ત્ર ના નિયમ અનુસાર જ અક્ષર જોડીને મંત્ર બનાવવામાં આવે છે અને એ મંત્ર પરંપરા જપ ને કારણે સિદ્ધ અને અમોઘ ફલદાયક હોય છે. એવા મંત્રો ને સામ્પ્રદ્દાયિક રીતી થી ગ્રહણ કરી વિશેષ પધ્ધતિ થી એનો જપ કરવાનો હોય છે. પુસ્તકો માંથી વાંચી લેવા માત્ર થી કોઈ વિશેષ લાભ નથી થતો. અમુક સાધક પુસ્તકોમાંથી કોઈ મંત્ર વાંચી ને એના જપ કરે છે પછી થોડા દિવસો બાદ એનો લાભ થતો ન દેખાય એટલે એને છોડી દે છે અને એવી રીતે નવા નવા મંત્રો જપતા રહે છેઅને ફાયદો ના થવાથી નિરાશ થાય છે. અમુક સાધક ઘણા મંત્રો એક સાથે જપે છે, પણ એનાથી પણ કોઈ ફાયદો નથી થતો. અમુક સાધક માળા જપવાને  મંત્ર જાપ સમજે છે અને માળા ને યંત્રવત ચૂમીને ફેરવવાથી એમ સમજે છે કે મેં હજારો કે લાખો  ની સંખ્યામાં જપ કરી લીધા, પણ એટલા જપ નો પ્રભાવ જોવાજઈએતો  કંઇજ નથી હોતો. 

મંત્ર જાપ માં માળા નું મહત્વ અધિક નથી હોતું. સ્મરણ કરવું અને સંખ્યા ગણવી , એજ માળા નું કામ છે. માળા સ્વયમ પવિત્ર હોય છે. માટે સાધક એને ધારણ પણ કરે છે. અમુક સાધક માળા ને સંપ્રદાય નું ચિન્હ અને પાપ-નાશ કરવાનું નું સાધન પણ માને છે

મંત્ર જાપ નો અધિકાર દીક્ષા વિધિ થીજ પ્રાપ્ત થાય છે, આ વૈદિક નિયમ છે. માટે કોઈ યોગ્ય ગુરુ પાસેથીજ મંત્ર દીક્ષા લઈને જાપ કરવા. શૈવ-વૈષ્ણવ વગેરે સંપ્રદાયો માં અનાદિ-કાળ થી જ દીક્ષા-વિધિ ચાલી આવે છે. ઘણા વ્યક્તિ દીક્ષા લેવી ઉચિત નથી માનતા, પણ એમની ભૂલ છે. અમુક સાધકો ની  એવી હાલત થાય છે કે તેઓ મંત્ર કોઈ દેવતા નો જપે છે અને ધ્યાન કોઈ અન્ય દેવતા નું ધરે છે. એનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? એમતો ભગવાન એકજ છે, છતાં પણ એમના અભિવ્યક્ત રૂપ તો અલગ-અલગ છે.

પોતાની અભિરુચિ અનુસાર, પણ શાસ્ત્ર-વિધિ ને છોડ્યા વગર કોઈ પણ માર્ગનું અવલંબન કરવાથી આપણને શીઘ્ર ફળની પ્રાપ્તિ થઇ જાય છે. માટે મંત્ર-દીક્ષા, વિધિ-વિધાન થીજ લેવી જોઈએ. મંત્ર-દીક્ષા માટે શુભ સમય, પવિત્ર સ્થાન અને ચિત્ત માં ઉત્સાહ હોવો અત્યંત જરૂરી છે. મંત્ર-દીક્ષા લીધા પછી મંત્ર-જાપ ને પ્રતિદિન એક નિશ્ચિત સંખ્યા માં અવશ્ય જપવા.

મંત્ર-જાપ માં નિયમો નો અર્થ એ નથી કે તમે હઠ  યોગ ના કઠીન આસનો અને મુદ્રાઓ નો પ્રયોગ કરો. વર્ષોના અનુભવ થી આવું જાણવા મળ્યું છે કે સાધક થોડા સાધારણ નિયમો અને સૌથી જરૂરી મંત્રો ને લયબદ્ધ થવું, એના દ્વારા સાધક ઘણા ઓછા સમય માં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની પ્રાપ્તિ કરી શકે છે. સસાધન માટે ના સૌથી સરળ થોડા વિધાનો, પોતાની સુવિધા અનુસાર એનું ચયન કરી શકો છો.

નવગ્રહ મંત્ર

સૂર્ય મંત્ર

॥ ॐ ह्रां ह्रीं ह्रों सः सूर्याय नमः ॥

ચંદ્ર મંત્ર

॥ ॐ श्रां श्रीं श्रों सः चन्द्रमसे नमः ॥

મંગળ મંત્ર

॥ ॐ क्रां क्रीं क्रों सः भौमाये नमः ॥

બુધ મંત્ર

॥ ॐ ब्रां ब्रीं ब्रों सः बुधये नमः ॥

ગુરુ મંત્ર

॥ ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः ॥

શુક્ર મંત્ર

॥ ॐ द्रां द्रीं द्रौं सः शुक्राये नमः ॥

શાની મંત્ર

॥ ॐ प्रां प्रीं प्रौं सः शन्‍ये नमः ॥

રાહુ મંત્ર

॥ ॐ भ्रां भ्रीं भ्रों सः राहुवे नमः ॥

કેતુ મંત્ર

॥ ॐ स्‍त्रां स्‍त्रीं स्‍त्रौं सः केतुवे नमः ॥

મહામૃત્યુંજય  મંત્ર

ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्धनम्‌।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्‌ ॐ स्वः भुवः ॐ सः जूं हौं ॐ।

No comments:

Post a Comment